Posts

Showing posts with the label Energy
Image
ગીતામાંના આહાર વિજ્ઞાનથી લઈને સર્પોની આહાર વ્યવસ્થા અને તેના અવનવા પ્રકાર તરફ એક દૃષ્ટિપાત . આપણે જ્યારે કોઈ પણ વસ્તુને તેના અલગ અલગ અર્થોમાં સમજવા પ્રયત્નશીલ બનીએ છીએ ત્યારે , તે વસ્તુ કે જીવ અંગે આપણે જાગૃત બનીએ છીએ અને તેને આદર આપતા થઈએ છીએ. મૂળભૂત રીતે કોઈ પણ જીવ માટે આહાર એ શરીરને ચાલતું રાખવા જરૂરી ઊર્જાનું માધ્યમ છે. પરંતુ પૃથ્વી પરના અન્ય પ્રાણીઓથી અલગ પડીને માનવના ક્રમિક વિકાસ અને ત્યાર બાદ પ્રજ્ઞાના વિકાસની તથા માનવ સંસ્કૃતિના વિકાસની સાથે સાથે , આહાર એ માત્ર પોષણ અને જરૂરિયાત ન બની રહેતાં , તેણે એક આખા વિજ્ઞાનને જન્મ આપેલો . પાષાણ યુગમાં શિકાર કરીને ખવાતા કાચા માંસના સ્થાને અગ્નિનો ઉપયોગ કરીને તેને પકાવીને ખાવાની શરૂઆત થઈ. પકાવેલા માંસને પચાવવું સહેલું થયું તથા તેના સ્વાદનો ફર્ક પણ માનવને આકર્ષવા લાગેલો. કાચા માંસથી શરૂ થયેલું આહાર ચક્ર આજે રાંધવાની કળા બની છપ્પન ભોગ અને બત્રીસ પકવાન સુધી પહોંચી છે. ભારતીય સંસ્કૃતિમાં છેક કૃષ્ણ કાળથી ભોજનનું વૈજ્ઞાનિક મહત્વ અને વિશ્લેષણ મળી આવે છે. હિંદુધર્મના સૌથી વધુ પૂ જનીય અને આસ્થાના કેન્દ્રમાં ભગવદ ગીતા છે. શ્ર...