ચોમાસુ એટલે સર્પોનો "ફૂડ ફેસ્ટિવલ" . . . ચોમાસામાં સાપ નિકળવાની ઘટનાને સમજવા પ્રયત્ન કરીએ.
ચોમાસા દરમિયાન અવારનવાર જોવા-સાંભળતા સાપના કિસ્સા બાદ શિયાળામાં આ સાપ અચાનક અદૃષ્ય કેમ થઈ જતા હશે એ અંગે વિચાર્યું છે કદી ? ના આપણને એવી વિચારવાની ટેવ જ ક્યાં છે ? મેં ગાંધીનગરમાં એક વાર ખૂબ વિચિત્ર કિસ્સો જોયેલો. સેક્ટર ૧૯ના એક બંગલામાં એક રાત્રે ૮ ફૂટની એક ધામણ એક વૃક્ષના મૂળીયામાં ફસાઇ ગઇ હશે. નોકરોએ તેને સવારે જોઇ અને મને ફોન કર્યો ... જઇને જોયું તો આ ધામણ મરી ગયેલી અને સાવ રબ્બરના ટાયર જેવી થઇ ગઇ હતી. ત્યાંથી તેને હળવેથી બહાર કાઢી તો તેના મોંમાંથી પાણી અને લોહી અલગ અલગ થયેલું પ્રવાહી નિકળ્યું. અવો કિસ્સો પ્રથમવાર જોયેલો એટલે જલદી સમજાયું નહીં કે આમ કેમ થયું હશે , પરંતુ પછીથી ઘણા મનોમંથન બાદ તેનું વૈજ્ઞાનિક કારણ સમજમાં આવેલું. પ્રકૃતિના કોઈ પણ તત્વની એક ઘટનાને સમજવી હોય તો તેની સાથે સકળાયેલા અનેક પાસા સમજવા જરૂરી બની જતા હોય છે. આમ શિયાળામાં સર્પોના અદૃષ્ય થઈ જવાની ઘટનાને બે બાબતો સાથે સીધો સંબંધ છે. એક તો ઉનાળામાં પ્રજનન અને ચોમાસામાં વૃકોદરની જેમ ખાધા કરવું. તો આ મુદ્દાને બર્ડ આઈ વ્યુની જેમ નીરખીએ અને સમજવાનો પ્રયાસ કરીએ. ચોમાસુ આવે એટલે ચારે તરફ હરીયાળી છવાઇ જાય .....