Posts

સર્પોની દૂનિયાના અજીબો-ગરીબ લૂક અલાઈક સર્પો.

Image
"ત્યારે ભાન થયું કે હું જે સાપ સાથે રમકડાની માફક ખેલ કરુ છું તે તો અતિઝેરી એવો ફુરસો છે !"            સર્પોની દૂનિયાના અજીબો-ગરીબ લૂક અલાઈક સર્પો. સર્પોની ઓળખ કરવામાં થાપ ખાઈ જવાય તો મોત વેંત છેટુ જ છે.  જેમનું બાળપણ ગામડાઓમાં પ્રાકૃતિક વાતાવરણમાં વિત્યું હોય , કુદરતના ખોળે ખેલીને મોટા થયા હોય , તેમના જીવન બાળપણની મધુર યાદોથી સભર હોય છે. સભર અને હર્યાભર્યા બાળપણના માલિક અમે ક્યારે ગ્રામીણ પ્રકૃતિ રાણીના પ્રેમમાં પડી ગયા એ ખબર જ ન રહી. ધીમે ધીમે અમારા આ પ્રેમ તત્વમાં સમજણ અને વૈચારિક સશક્તિ આવતી ગઈ તેમ તેમ આ ઘટના માત્ર એક પ્રવૃત્તિ કે શોખ ન રહેતાં એક અનોખી વિચારધારા બની ગઈ. શરૂઆતનો પ્રેમ જેમ ઝનૂનની હદે જતો હોય તેમ મારા અને થોડા મિત્રોના સમગ્ર અસ્તિત્વ લીલાં છમ બની ગયેલાં , અમને તમામ જગ્યા પર કુદરત , પ્રકૃતિ , પર્યાવરણ અને તેના વિવિધ પાસાઓ જ દેખાતા . . . અને અમારા કિશોરાવસ્થાના તમામ કપડાં પણ લીલાશ ધારણ કરવા લાગેલાં ! કંઈ પણ પસંદગી કરવાની આવે તો અમે તરત પૂછતા કે "લીલું છે ?" આ ઉન્મેષ પણ સુખદાયક હોય છે. આજે અર્ધી સદીના આરે આવતાં અમારા એ બચપના ...

આ ડૉક્ટરો ય મૂરખા છે, ખાલી મારું લોહી ચડાવી દે એક બોટલ તોય તારું સાપનું ઝેર ઉતરી જાશે.

Image
આ ડૉક્ટરો ય મૂરખા છે , ખાલી મારું લોહી ચડાવી દે એક બોટલ તોય તારું સાપનું ઝેર ઉતરી જાશે . કહેવાય છે કે મૂર્ખ મિત્ર કરતાં દાનો દુ:શ્મન સારો. જ્યારે જીવ જોખમમાં હોય ત્યારે એક ખોટી કે સાચી સલાહ જીવન મરણ વચ્ચેનો ભેદ મિટાવી શકે છે.           ગાંધીનગરમાં વર્ષો સુધી એકલા હાથે સર્પ-બચાવનું કામ કર્યા બાદ એક-દા વિચાર આવ્યો કે હું તો આ કામ કરું છું , પણ કોઇ એવો સમય આવે કે હું ગાંધીનગરમાં ન હોઉં અથવા હયાત પણ ન હોઉં અને કોઈને જરૂર પડે સર્પને બચાવવાની તો શું ? ત્યારે વિચાર આવેલો કે એક બીજી પંક્તિ એટલે કે સેકન્ડ લાઈન તો તૈયાર થવી જોઈએ. પણ આવા એરુ પકડવાના કામમાં મરજીથી કોઈ જોડાય ખરું ? મનની મથામણના અંતે એક દિવસ સાપના કોઈ કિસ્સાની છાપામાં સ્ટોરીની પત્રકારને બાઈટ આપતી વખતે એક વાક્ય એ પણ બોલી નાખેલું કે “ગાંધીનગરના કોઈ યુવાનો જો શીખવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે”. અને મારા આશ્ચર્ય વચ્ચે થોડા યુવાનો આગળ આવ્યા. પ્રથમ હરોળ તૈયાર તો થઈ પણ એમાંના એક બે ને છોડતાં કોઈ આ પ્રવૃત્તિમાં લાંબુ ટક્યા નહીં. તેથી બીજો લોટ હાથ પર લીધો અને તેમાંથી સર્જાયું હાલનું “સ્નેક લવર્સ ક્લ...
Image
ગીતામાંના આહાર વિજ્ઞાનથી લઈને સર્પોની આહાર વ્યવસ્થા અને તેના અવનવા પ્રકાર તરફ એક દૃષ્ટિપાત . આપણે જ્યારે કોઈ પણ વસ્તુને તેના અલગ અલગ અર્થોમાં સમજવા પ્રયત્નશીલ બનીએ છીએ ત્યારે , તે વસ્તુ કે જીવ અંગે આપણે જાગૃત બનીએ છીએ અને તેને આદર આપતા થઈએ છીએ. મૂળભૂત રીતે કોઈ પણ જીવ માટે આહાર એ શરીરને ચાલતું રાખવા જરૂરી ઊર્જાનું માધ્યમ છે. પરંતુ પૃથ્વી પરના અન્ય પ્રાણીઓથી અલગ પડીને માનવના ક્રમિક વિકાસ અને ત્યાર બાદ પ્રજ્ઞાના વિકાસની તથા માનવ સંસ્કૃતિના વિકાસની સાથે સાથે , આહાર એ માત્ર પોષણ અને જરૂરિયાત ન બની રહેતાં , તેણે એક આખા વિજ્ઞાનને જન્મ આપેલો . પાષાણ યુગમાં શિકાર કરીને ખવાતા કાચા માંસના સ્થાને અગ્નિનો ઉપયોગ કરીને તેને પકાવીને ખાવાની શરૂઆત થઈ. પકાવેલા માંસને પચાવવું સહેલું થયું તથા તેના સ્વાદનો ફર્ક પણ માનવને આકર્ષવા લાગેલો. કાચા માંસથી શરૂ થયેલું આહાર ચક્ર આજે રાંધવાની કળા બની છપ્પન ભોગ અને બત્રીસ પકવાન સુધી પહોંચી છે. ભારતીય સંસ્કૃતિમાં છેક કૃષ્ણ કાળથી ભોજનનું વૈજ્ઞાનિક મહત્વ અને વિશ્લેષણ મળી આવે છે. હિંદુધર્મના સૌથી વધુ પૂ જનીય અને આસ્થાના કેન્દ્રમાં ભગવદ ગીતા છે. શ્ર...

મિત્રો, ચાલો સર્પોની રહસ્યમય દુનિયામાં ડોકિયું કરીએ . . .

Image
જિજ્ઞાસા અને કુતુહલવૃત્તિ જીવન બદલી શકે છે , અને તમારી જિજ્ઞાસા અને જ્ઞાનની ભૂખ ખરેખર તીવ્ર હોય અને દિલથી પ્રયાસ કરો તો જ્ઞાનપ્રાપ્તિ માટેના માધ્યમો મળી જ આવે છે. કૌન કહેતા હૈ આસમાં મેં સુરાખ નહીં હોતા ? कौन कहता है आसमां में सुराख नहीं हो सकता , एक पत्थर तो तबियत से उछालो यारों                                                                           - दुष्यन्तकुमार વાત છે વામનમાંથી વિરાટ બનવાની. એમ તો સૌને વિરાટ જ જોઈએ છે. નબળું કોને જોઈએ છે ? પણ વામનમાંથી વિરાટની યાત્રા આમ ભલે માત્ર દોઢ પગલાંની જ હોય , પરંતુ એ દોઢ પગલાં ભરવાની હિંમત કેટલા પાસે હોય છે ? કારણ માત્ર એટલું કે જીનેટિક ડિઝાઈનમાં જે મટીરીયલ મળવું જોઈએ તે સૌ પાસે થોડું હોય ? આજે એક એવા બાળકની વાત કરવી છે જેની શક્તિ તેના પ્રશ્નો અને જિજ્ઞાસાવૃત્તિમાં છુપાયેલી છે. સન. ૨૦૦૩માં ગાંધીનગરના મારા સરકારી ક્વાર્ટર પર એક બાળક પ...