“સર્પ દંશ સ્ટન્ટ કરતાં થાય કે સ્ટન્ટ વગર, એક વાત નક્કી હોય છે કે, ભૂલ માણસની હોય છે, સાપની નહીં.”
“સર્પ દંશ સ્ટન્ટ કરતાં થાય કે સ્ટન્ટ વગર, એક વાત નક્કી હોય છે કે, ભૂલ માણસની હોય છે, સાપની નહીં.” હજારોનું ફોલોઈંગ ધરાવતો એક પંજાબી મહારાષ્ટ્રમાં સ્ટન્ટ દરમિયાન સર્પદંશથી મૃત્યુ પામ્યો. તેની ડેડ-બોડી જ્યારે પંજાબ પહોંચી પછી તેના ગામલોકો અને સગા-સંબંધી સિવાય એક પણ પ્રશંસક તેની સ્મશાનયાત્રામાં ગયો નહોતો ! ========================================================== આગળ ઉપરના એક વલોણામાં આપણે જોયેલું કે સરિસૃર્પોનું ઋતુ ચક્ર દરેક સીઝનમાં કેવી રીતે અને શા માટે બદલાતું હોય છે. સર્પો ઠંડા લોહીવાળા પ્રાણી હોવાના કારણે તેમને પોતાના શરીરની ઉષ્મા જાળવી રાખવા માટે બાહ્ય બાબતો પર આશ્રય રાખવો પડતો હોય છે. ઉનાળામાં સર્પો ગરમીમાં ઠંડકવાળી જગ્યાઓમાં છૂપાઈને પોતાના શરીરનું તાપમાન ઠંડું રાખે છે અને શિયાળામાં તેમણે ગરમી અને હૂંફ માટે આશરે ત્રણેક મહિના છૂપાઈને પોતાના શરીરના તાપમાનને જાળવી રાખવું પડે છે. શિયાળો પતે એટલે ધીમે ધીમે સર્પો દેખાવા માંડે. અને માનવ સમાજમાં ખોરાકની શોધમાં આવી જાય. પરસ્પરના ડરની આવી સ્થિતિમાં સંઘર્ષને કારણે કોઈ પણ એક પક્ષે થતાં નુકસાનને નિવારવા માટે અમારા જેવા સ્વયંસેવકો...